કોરોના ઓમિક્ર્રોન સબ વેરિ. BF7 ના અમદાવાદ અને વડોદરા મા 2 કેસ સાથે માસ્ક પેહરવા ની એડવાયજરી જાહેર

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી સરકાર અને રાજ્યસાવચેત બની આરોગ્યમંત્રી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં કોવિડ 19 બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે એ ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં 2 અને વડોદરામાં એક કેસ આવ્યો હતો
ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BF.7 જે હાલ મા ચાઇના ના કેસો જે રીતે આવી રહ્યા છે. ઓમિક્રોનના સબ-વેરિયન્ટના ગુજરાતમાં ત્રણ કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં બે અને વડોદરામાં એક કેસ નોંધાયો હતો. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલાં વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ હતું. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલાં કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે એ નવો કેસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી આ મામલે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

તમામ દર્દી હોમ આઇસોલેશનમાં જ સાજા થયા હતા
આરોગ્ય અધિકારીઓએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રકારના ઓમિક્રોન વેરિયન્ટના BF.7 and BF 12 સ્વરૂપથી સંક્રમિત દર્દી જુલાઇ-ઓક્ટોબર-નવેમ્બર -2022માં નોંધાયા હતા.
આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમા જ સારવાર આપવામાં આવી હતી..

જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે.

ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે. આજે મળેલી નીતિ આયોગની બેઠક પછી ભારત સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની ભલામણ કરી છે. એ ઉપરાંત જેમને પણ બૂસ્ટર ડોઝ બાકી છે તે પણ વહેલીતકે લઈ લેવાની અપીલ કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો